Jagannath meet temple
✔ *જગન્નાથ પૂરી મંદિર*
જગન્નાથ પૂરીનું મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહી મંદિરનું ભવ્ય નિર્માણ કોઈને પણ મંત્રમુગ્ધ કરે દે છે.
આ મંદિરની ઊંચાઈ ૨૧૪ ફૂટ છે. આ મંદિરના શીર્ષ પર લાગેલ સુદર્શન ચક્રને જોતા જ એવો અનુભવ થશે કે તે તમારી સામે જ લાગેલું છે.
અહી મંદિરની ટોચ પરનો ધ્વજ હમેશા હવાની વિપરીત દિશામાં જ લહેરાતો હોય છે.
તમે કોઈ પણ વિમાનો કે પક્ષીને મંદિરની ઉપર ઉડતા ન જોય શકો.
જગન્નાથ પૂરી મંદિરના મુખ્ય ગુંબજનો પ્રકાશ દિવસે પડતો દેખાતો નથી.
જગન્નાથ પૂરી મંદિરના રસોઈઘરને દુનિયામાં સૌથી મોટું રસોઈઘર માનવામાં આવે છે. મંદિરમાં રસોઈ માટે ૭ વાસણોને એક બીજા ઉપર મુકવામાં આવે છે અને રસોઈને લાકડા ઉપર જ બનાવવામાં આવે છે.
મંદિરના સિંહદ્વારમાં પહેલા પગે પ્રવેશ કરતા જ તમે બહારનો કોઈપણ અવાજ ને ન સાંભળી શકો. જયારે તમે મંદિરની બહાર પગ રાખો છે ત્યારે જ તમે અવાજ સાંભળી શકો છે.
દરરોજ દિવસ આથમતા મંદિરની ઉપર રહેલ ધ્વજને ઉન્ધો કરીને બદલવામાં આવે છે.
મંદિરમાં રસોઈ માટીના બનાવેલા વાસણોમાં બનાવાય છે જગન્નાથ પૂરી મંદિરમાં જગન્નાથ ભગવાનને થાળ જમાડવા માટે મહાપ્રસાદ ના નિર્માણ હેતુ ૫૦૦ પ્રકારની રસોઈ અને ૩૦૦ લોકો એકસાથે કામ કરે છે.







0 comments:
Post a Comment